Skip to main content

PAPER - 203 Teacher Education 2

Unit - 3   શિક્ષક પ્રશિક્ષણની સમસ્યા અને પડકારો 


(3.1)  પુખ્ત શિક્ષણ  (એંડ્રાગોગી)ની સંકલ્પના અને તેના સિદ્ધાંતો  


  • એંડ્રાગોગી  - પુખ્તવયના યુવાન &  પ્રૌઢ માટે પદ્ધતિશાસ્ત્ર 
 

 એંડ્રાગોગીની બે પ્રાથમિક સમજણ અસ્તિત્વમાં છે.

       1 ) સમજણનું વિજ્ઞાન(સિદ્ધાંત ) અને સહાયક (અભ્યાસ) પુખ્ત વયના લોકો માટે આજીવન શિક્ષણ.

       2) માલ્કમ નોલ્સની પરંપરામાં, ચોક્કસ સૈદ્ધાંતિક અને વ્યવહારુ અભિગમ. તે સ્વનિર્દેશિત અને 

            સ્વાયત્ત શીખનારાઓ તેમજ શિક્ષકોની શિક્ષણની સુવિધા આપનારાઓની માનવતાવાદી 

           વિભાવના પર આધારિત છે.

એંડ્રાગોગી સંકલ્પના :-

     Andra -  ગ્રીક ભાષામાં પુખ્ત માનસ

     Gogy - દોરવાની આપવી 

વ્યાખ્યા 

                 " એંડ્રાગોગી એટલે પુખ્તોના જીવનપર્યંત અને જીવન કાળમાં વહેંચાયેલા શિક્ષણને સમજવાનું અને સહાય કરવાનું વિજ્ઞાન."

[એંડ્રાગોગી = જીવનપર્યંત + સમજવાનું + સહાય કરવાનું] 

નોવેલ્સ મુજબ,

    "પુખ્તવયના લોકોને અધ્યયનમાં મદદ કરવાની કળા અને વિજ્ઞાન."

                  પુખ્ત વિદ્યાર્થી = સ્વયંનિર્દેશિત + સ્વાયત્ત 

પૂર્વધારણા

1) પુખ્તવયના લોકોને ભણવું શા માટે જરૂરી છે? તે જાણવું જરૂરી છે.

2) તમને અનુભવે (પુખ્તવયના લોકોને) આધારે ભણવાની જરૂરિયાત હોય છે.

3) પુખ્તવયના લોકો સમસ્યા સમાધાન તરીકે અધ્યયનને જુએ છે.

4) પુખ્તવયનો વિદ્યાર્થી જે શીખ્યો હોય તેની ઉપયોગિતા તરત જ મળે તેવું થાય ત્યારે તેઓ શ્રેષ્ઠ રીતે 

     શીખે છે. 

સિદ્ધાંતો :-

1) જ્યારે પુખ્તવયના વિદ્યાર્થીને પોતાના અધ્યયનની દિશા નક્કી કરવાની સ્વતંત્રતા મળે ત્યારે તેઓ 
   
     અચૂકપણે અસરકારક રીતે ભણે છે. પુખ્તવયના વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ કૌશલ્યો અથવા જ્ઞાન 

      મેળવવા માટેની તીવ્ર આંતરિક પ્રેરણા હોય છે.
  

માલ્કમ નોવેલ્સએ આપેલા સિદ્ધાંતો 

1) પુખ્તવયના લોકોને પોતાની દિશામાં પોતાના શિક્ષણના આયોજનમાં અને મૂલ્યાંકનમાં સામેલ 

      કરવાની જરૂર છે.

2) પુખ્તવયના વિદ્યાર્થીઓની અધ્યયન પ્રવૃત્તિઓ માટે તેમનો અનુભવ મૂળ આધાર છે. 

3) પુખ્તવયના વિદ્યાર્થીઓને પોતાની વ્યક્તિગત જિંદગી અથવા વ્યવસાય માટે તરતજ ઉપયોગમાં 

     આવે તેવા વિષયો શીખવામાં સૌથી વધુ રસ હોય છે.

4) પુખ્તવયના વિદ્યાર્થીઓનું અધ્યયન વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને  ન થાય. પરંતુ વાસ્તવિક સમસ્યાનો 

    ઉકેલ મળે તેને કેન્દ્રમાં રાખીને થાય.

5) પુખ્ત શિક્ષણ સામગ્રી-લક્ષીને બદલે સમસ્યા -કેન્દ્રિત છે.











 

Comments

Popular posts from this blog

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન 07 ભ્રમને ભેદવાનાં ભયસ્થાન –બી. એમ. દવે [ ગત અંક  : 06  ( https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8 /   ) ના અનુસન્ધાનમાં.. ] તારીખ :   12  ફેબ્રુઆરી , 1824 ના રોજ મોરબી પાસેના  ટંકારા  ગામે જન્મેલા  મુળશંકર અંબાશંકર ત્રીવેદી  નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત  ભ્રમ  ભાંગી ગયો.  તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ  બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો  ભ્રમ  ભાંગી ગયો. આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક  મહર્ષી દયાનન્દ સરસ્વતી  તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલી...
સ‌િઅાચેન : જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષ્‍ાેત્રની મુલાકાત (૧ વર્ષના પર‌િશ્રમ બાદ) અાખરે સંપન્‍ન ! તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં ...