Skip to main content

PAPER - 203 (3.2)

unit:-3 


(3.2) શિક્ષકો અને શિક્ષક - પ્રશિક્ષકો માટે નૈતિકતાના નિયમો




નૈતિકતાના નિયમો મુખ્ય રીતે 5 ક્ષેત્રમાં વહેંચાયેલા છે.



1) વિદ્યાર્થી સંબંધિત નિયમો

2) વિદ્યાર્થીના માતા - પિતા સંબંધિત નિયમો 

3) સમાજ અને રાષ્ટ્ર સંબંધિત નિયમો 

4) વ્યવસાય, સહકર્મચારીઓ અને વ્યાવસાયિક સંગઠન સંબંધિત 

5) સંચાલકો અને વ્યવસ્થાપન સંબંધિત નિયમો 


(1)  વિદ્યાર્થી સંબંધિત નિયમો :-

1)  શાળામાં પોતાની ફરજ પ્રત્યે નિયમિત રહેવું 

2) પૂરતી તૈયારી કરી અભ્યાસક્રમ ચલાવે અને પાઠો આપે.

3) ધર્મ, જાતિયતા, આર્થિક દરજ્જો, ભાવ કે વર્તનમાં ભેદભાવ વિના દરેક વિદ્યાર્થીને પ્રેમ અને લગાવથી

    ભણાવવું .

4) વિદ્યાર્થીના શારીરિક, સામાજીક, બૌદ્ધિક, સાંવેગિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસમાં મદદ કરવી

     જોઈએ.

5)વિદ્યાર્થી - પ્રશિક્ષણાર્થીના સાંસ્કૃતિક, સામાજિક પૃષ્ઠભૂમિ અને વૈયક્તિક જરૂરિયાતોને ધ્યાનમાં

     રાખીને ભણાવવું.

6)વિદ્યાર્થી - પ્રશિક્ષણાર્થીઓની અંગત ખાનગી બાબતોથી કોઈ અનઅધિકૃત વ્યક્તિને જાણ ન કરવી

     જોઈએ.

7) વિદ્યાર્થીના મૂલ્યાંકનમાં ભેદભાવ કે પક્ષપાત ન કરવો જોઈએ.


(2) વિદ્યાર્થીના માતા- પિતા સંબંધિત નિયમો:- 

1)વિદ્યાર્થી -પ્રશિક્ષણાર્થીના માતા-પિતા  સાથે સૌહાદપૂર્ણ સંબંધ જાળવે.

2) વિદ્યાર્થી- પ્રશિક્ષણાર્થીઓની સિદ્ધિ/ ખામી વિશે વાલીને માહિતી આપે.

3) વાલી/ માતા-પિતા સમક્ષ વિદ્યાર્થી - પ્રશિક્ષણાર્થીના આત્મવિશ્વાસ તેમજ સ્વમાનને ઠેસ પહોંચે તે

     પ્રકારનું વર્તન ન કરે.

4)માતા-પિતાના વ્યવસાયનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ ન કરે.

(3)  સમાજ અને રાષ્ટ્ર સંબંધિત નિયમો :-

1) શિક્ષક/ પ્રશિક્ષક પોતાની સરકારને સમાજ તથા માનવ સંશાધનના વિકાસના કેન્દ્ર તરીકે

      વિકસાવવાનો પ્રયાસ કરે છે, અને તેના માટે જરૂરી જ્ઞાન અને કુશળતા કેળવે.

2) સામાજિક સમસ્યાઓ અંગે અને તેને દૂર કરવા પ્રયત્ન કરે.

3) વિવિધ ધર્મ, જાતિ, ભાષાના લોકો વચ્ચે વેરભાવના ન થાય તેવી પ્રવૃત્તિઓથી દૂર રહે.

4) રાષ્ટ્રીય એકતાની ભાવના પ્રબળ બને તે માટે સક્રિય રીતે વર્તે.

5 )ભારતીય સંસ્કૃતિને માન આપે અને આવું માન વિદ્યાર્થીઓમાં જાગૃત થાય તેવા પ્રયાસ કરે.

6) શાળા, સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યે આદર રાખે અને તેને વફાદાર રહે.

7)બંધારણમાં સૂચિત તમામ ફરજો અદા કરે.


(4) વ્યવસાય સહકર્મચારીઓ અને વ્યાવસાયિક સંગઠન :-


4.1    વ્યવસાય અને સહકર્મચારીઓ અંગે નિયમો:- 

1) વિદ્યાર્થીના અને સંસ્થાના વિકાસમાં અડચણરૂપ હોય તેવી બાબતોની સંબંધિત સત્તાધીશોને યોગ્ય 

    રીતે જાણ કરે.

2) સતત અભ્યાસશીલ રહે.

 4.2   વ્યવસાય સંગઠન નિયમો :-

1) વિવિધ વ્યવસાય સંગઠનોમાં જોડાય અને પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અદા કરે.

2) સંગઠનના બંધારણને વફાદાર રહી કાર્ય કરે.

(5)  સંચાલકો અને વ્યવસાયનો સંબંધિત નિયમો :-   

1) સંસ્થાના સંચાલનને ટકાઉવિકાસના સ્ત્રોત તરીકે સ્વીકારે.

2) સંસ્થાના સંચાલન અને વ્યવસ્થાપનમા વિઘ્ન ઊભા ન કરે.

3) સંસ્થાના સુચારું સંચાલન અને વ્યાસથાપનમાં પોતાની કુશળતા  અને ક્ષમતા પ્રમાણે મદદ કરે.

4) સંચાલકો પ્રત્યે આદર રાખે. 

  
 
        



 

Comments

Popular posts from this blog

ભ્રમને ભેદવાનાં ભયસ્થાન 07 ભ્રમને ભેદવાનાં ભયસ્થાન –બી. એમ. દવે [ ગત અંક  : 06  ( https://govindmaru.wordpress.com/2017/06/30/b-m-dave-8 /   ) ના અનુસન્ધાનમાં.. ] તારીખ :   12  ફેબ્રુઆરી , 1824 ના રોજ મોરબી પાસેના  ટંકારા  ગામે જન્મેલા  મુળશંકર અંબાશંકર ત્રીવેદી  નામના એક બ્રાહ્મણ બાળકે શીવલીંગ ઉપર એક ઉંદરડી ફરતી જોઈ અને શીવલીંગ અંગેનો પરમ્પરાગત  ભ્રમ  ભાંગી ગયો.  તેને વીચાર આવ્યો કે ઈશ્વરના સ્વરુપ ઉપર ઉંદરડી ફરે તેને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? શીવલીંગ ઉપર આ અગાઉ ઘણા શીવભક્તોએ મોટા–મોટા ઉન્દરડા ફરતા પણ જોયા જ હશે; પણ  બીજા કોઈને આવો ક્રાંતીકારી વીચાર ન આવ્યો..! કારણ કે તેઓ બધા ગળથુથીમાં પીવડાવવામાં આવેલ ધાર્મીકતાના ઘેનમાં હતા; જ્યારે સામાન્ય બુદ્ધીપ્રતીભા ધરાવતા આ બાળકનો રુઢીગત ધાર્મીકતાનો  ભ્રમ  ભાંગી ગયો. આપ સહુ જાણતા જ હશો કે આ મેધાવી બાળક આગળ જતાં આર્યસમાજનાં સ્થાપક  મહર્ષી દયાનન્દ સરસ્વતી  તરીકે વીખ્યાત થયા હતા. તેઓશ્રીએ તેમના ક્રાંતીકારી વીચારોથી હીન્દુ ધર્મમાં સદીઓથી પ્રચલી...
          સુવિચાર  વ્યર્થ બોલવા કરતાં મૌન રહેવું એ વાણીની પ્રથમ વિશેષતા છે. જ્યારે લખાણના વખાણ થાય ત્યારે સમજવું કે શબ્દો આંખ થકી ........દિલ સુધી પહોંચ્યા  છે.

PAPER - 203 Teacher Education 2

Unit - 3   શિક્ષક પ્રશિક્ષણની સમસ્યા અને પડકારો  (3.1)  પુખ્ત શિક્ષણ  (એંડ્રાગોગી)ની સંકલ્પના અને તેના સિદ્ધાંતો   એંડ્રાગોગી  - પુખ્તવયના યુવાન &  પ્રૌઢ માટે પદ્ધતિશાસ્ત્ર      એંડ્રાગોગીની બે પ્રાથમિક સમજણ અસ્તિત્વમાં છે.        1 ) સમજણનું વિજ્ઞાન(સિદ્ધાંત ) અને સહાયક (અભ્યાસ) પુખ્ત વયના લોકો માટે આજીવન શિક્ષણ.        2) માલ્કમ નોલ્સની પરંપરામાં, ચોક્કસ સૈદ્ધાંતિક અને વ્યવહારુ અભિગમ. તે સ્વનિર્દેશિત અને              સ્વાયત્ત શીખનારાઓ તેમજ શિક્ષકોની શિક્ષણની સુવિધા આપનારાઓની માનવતાવાદી             વિભાવના પર આધારિત છે. એંડ્રાગોગી સંકલ્પના :-      Andra -  ગ્રીક ભાષામાં પુખ્ત માનસ      Gogy - દોરવાની આપવી  વ્યાખ્યા                    "   એંડ્રાગોગી એટલે પુખ્તોના જીવનપર્યંત અને જીવન કાળમાં વહેંચાયેલા શિક્ષણને સમજવાનું અને ...